Thursday, May 21, 2015

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

ધર્મ ડેસ્કઅમદાવાદઃ જ્યારે કોઈ ઝઘડો થાય છે તો, તમે સામેના માણસને કહી દો છો કે- બે કોડીના માણસ તારી શું ઓકાત છે. કદાચ તમને ખબર નહીં હોય કે બે કોડી જ માણસને કરોડપતિ બનીવી શકે છે. કોડીઓમાં એટલો દમ હોય છે કે માણસના જીવનની કાયાપલટ થઈ જાય છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ હોય છે. પરંતુ હા જો તમને આ કોડીઓથી વધુ લાભ મેળવવો હોય તો તમે અહીં આપેલ કેટલીક ટિપ્સને અપનાવીને તમારા જીવનમાં રંગ ભરી શકો છો.
 
કોડીઓનું મહત્વ માત્ર ભારતમા જ નહીં ચીનમાં પણ છે. ચીની જ્યોતિષ પ્રમાણે કોડીઓ દ્વારા વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઈતિહાસમાં જોઈએ તો મહાભારત દરમિયાન કૌરવો અને પાંડવો ચોસડ પણ આ કોડીઓથી જ રમતા હતા. ઉત્તર ભારતમાં દીવાળીના દિવસે કોડીઓની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં લક્ષ્મી આવે છે. તે સિવાય વારાણસીમાં એક મંદિર છે, જ્યાં કોડીઓથી જ પૂજા થાય છે. અહીં આપવામાં આવેલ કેટલીક પૂજા વિધીઓનું ફળ મેળવવા તમે વિચાર કરશો કે આખરે માણસ કોડીનો કેવી રીતે હોઈ શકે છે. આ કોડીઓ સામાન્ય હોય છે પરંતુ તેને અભિમંત્રિત કરીને ખાસ રીતે સિદ્ધ કરીને ચમત્કારી બનાવી શકાય છે.
 

નાણાકીય સ્થિતિ સુધારોઃ-
 
કોઈ શુભ કાળમાં 11 ધનદાયક કોડીઓને પીળા વસ્ત્રમાં બાંધીને ધનના સ્થાને રાખવાથી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે.
 
વેપારને વધારવા માટે કોડીઓનો ઉપાયઃ-
 
જો તમારા વેપાર ઉપર કોઈને તાંત્રિક ક્રિયા કરી રાખી હોય, તો હોળીની રાતે જે સ્થાન ઉપર હોળી દહન થાય તે જગ્યાએ એક ખાડો કરીને તેમાં 11 અભિમંત્રિત ધનદાયક કોડીઓ દબાવી દો. બીજા દિવસે કોડીઓ કાઢીને વ્યવસાયના સ્થળે માટીની સાથે વાદળી વસ્ત્રમાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ક્રિયા કરવાથી વ્યવસાયનું બંધન હટી જશે અને તમારી પ્રગતી થવા લાગશે.

શુભ દિવસોમાં લક્ષ્મી પૂજામાં-
 
માતા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે ધનતેરસ કે કોઈપણ શુભ દિવસે ચાંદીની ડબ્બીમાં 5 ધનકારક કોડીઓ, કચનારના પત્તા અને મધને રાખવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે.
 
જો બીમારી ચાલી રહી હોય તોઃ-
 
જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી રોગ ગ્રસ્ત હોય અને સ્વસ્થ ન રહેતું હોય, તો તે પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 અભિમંત્રિત ગોમતી ચક્ર, 11 નાગકેસરની જોડી અને 7 ધનદાયક કોડીઓ બાધીને કપડાં ઉપર હરશ્રૃંગાર કરીને અત્તર લગાવીને વ્યક્તિની ઉપરથી 9 વાર ઊતારીને શિવ મંદિરમાં અર્પિત કરી દો. લાભ ચોક્કસ મળશે.

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

સારી નોકરી માટેઃ-
 
જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો, તો 5 અભિમંત્રિત કોડીઓ ઉપર હળદર લગાવીને તેને પોતાની ઉપર 7 વાર તારીને કોઈ હરિજનને 21 રૂપિયા સાથે આપી દો. તેનાથી તમને સફળતા ચોક્કસ મળશે.
 
ખરાબ નજરથી બચવા માટેઃ-
 
અભિમંત્રિત કોડીઓમાં છેદ કરીને બાળકના ગળામાં કાળા દોરાની સાથે ધારણ કરવાથી બાળક ઉપર નજર  લાગતી નથી, ઉપરી બાધાઓથી બચીને બાળક સ્વસ્થ રહે છે.
 
આર્થિક સ્થિતિ માટેઃ-
 
અભિમંત્રિત ધનદાયક કોડીઓ અને સાત અભિમંત્રિત ગોમતીચક્ર ઉપર હળદરથી તિલક કરી પૂજાના સ્થળે પીળા વસ્ત્રમાં રાખવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુદ્રઢ બની રહે છે.

-પાંચ કોડી ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની ચોખટ ઉપર બાંધવાથી ધન સંબંધી કામોમાં લાભ મળવા લાગે છે.
 
-લક્ષ્મી, ભગવાન નારાયણની પત્ની છે અને નારાયણને અત્યંત પ્રિય પણ છે. તેમન ઉત્પતિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. શંખ, મોતી, સીપ, કોડી પણ સમુદ્રથી પ્રાપ્ત થવાને લીધે જ નારાયણને પ્રિય છે. આથી લક્ષ્મી પૂજામાં સમુદ્રથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી વસ્તુઓને પોતાના ધનની જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે.

No comments:

Post a Comment